કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રાયગઢ ગામનો રહેવાસી ૨૫ વર્ષીય. આશીષકુમાર બીસનભાઈ ઓડ બે દિવસ પહેલાં બાઈક લઈને બહાર નીકર્યો હતો.પરંતુ ઘરે ન પહોંચતા શોઘખોળ ચાલુ કરી પરંતુ કોઈ પતો ન મળતા પરિવારજનો ઘ્વારા ગાભોઇ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી કરી હતી.

પરંતુ માકડી ડેમમા તરતી લાશ જોવા મળી હતી અને બાઈક પણ મળી આવ્યું હતું.અને ગાભોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી અને તરત ફાયર બ્રિગેડ ની ટીમ બોલાવિ ને નાવડી ની મદદથી લાશ બહાર કાઢી ગાભોઈ આરોગ્ય કેન્દ્ર માં લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.