Publisher Theme
I’m a gamer, always have been.

ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે‌ કુ. હેતલ હંસરાજભાઈ કટારમલ

0 625

કુ. હેતલ હંસરાજભાઈ કટારમલ શ્રી કચ્છી ભાનુશાલી સમાજની એક ઉજ્જવળ પ્રતિભા છે, જેઓએ ભારતીય નૃત્યકળાના વિશિષ્ટ સ્વરૂપ ભરતનાટ્યમ દ્વારા ગુજરાત અને ભારતના નૃત્યપ્રેમીઓના દિલ જીત્યા છે. જામનગરમાં જન્મેલા અને મીનાબેન અને હંસરાજભાઈના ઘર આંગણે પાંગરેલા કુ. હેતલએ નૃત્ય ક્ષેત્રે અવિરત મહેનત અને નિષ્ઠાથી પોતાની અનોખી ઓળખ ઊભી કરી છે.

બાળપણથી નૃત્ય પ્રત્યેનો લગાવ – માત્ર 7 વર્ષની નાની વયે હેતલ કટારમલ ભરતનાટ્યમની સુંદર કલામાં જોડાયા. આ કલા માત્ર શોખ પૂરતી મર્યાદિત રહી નથી; તેમણે આ કલા માટે 15 વર્ષ સુધી તન, મન અને ચિત્તથી અભ્યાસ કર્યો અને “વિશારદ” અને “અલંકાર”ના સ્તર સુધી પહોંચ્યા. આ સફરમાં તેમણે “આરંગેત્રમ” ની ડિગ્રી મેળવી, જે ભરતનાટ્યમમાં મહાન સિદ્ધિ (માસ્ટર ડિગ્રી) ગણાય છે.

નૃત્યમાં પ્રગતિ અને સફળતા – હેતલ કટારમલે માત્ર અભ્યાસ સુધી મર્યાદિત રહેવું પસંદ ન કરતાં, ગુજરાતમાં અનેક સ્થળોએ પોતાનો નૃત્ય પ્રોગ્રામ રજૂ કર્યો છે. તેમને મોઢેરા સૂર્યમંદિરના અનાવરણ પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ નૃત્ય પ્રસ્તુત કરવાની ઉત્તમ તક મળી હતી, જે તેમની કારકિર્દીના મિલનોમાંની એક છે. અમદાવાદમાં પણ તેમની એક નૃત્ય પ્રસ્તુતિ “વૈષ્ણવ જન તો તેને કહીએ” માટે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો, જે તેમની પ્રતિભા અને મહેનતના જીવંત ઉદાહરણ છે.

નૃત્ય શિક્ષણ દ્વારા નવી પેઢીનું ઘડતર – હેતલ કટારમલ માત્ર નૃત્યાંગના નથી; તેઓ નૃત્ય શિક્ષણમાં પણ આગેવાન છે. જામનગર ખાતે તેમણે “Nrutya Shala – The Dance Studio” શરૂ કર્યું છે, જ્યાં 50 થી વધુ દીકરીઓ ભારતીય નૃત્યકલા ભણે છે. હેતલ આ શાળાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિની કળાને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને નૂતન પેઢી પાસે ધરોહર તરીકે પહોંચાડવામાં દ્રઢ છે.

ભવિષ્યના સપના – હેતલનું દરેક પગલું તેમના ધ્યેયમાર્ગે છે. તેઓ હવે ભરતનાટ્યમમાં પી.એચ.ડી. કરવાની તૈયારી કરી રહ્યા છે, જે પોતાના જ્ઞાતિ, સમાજ અને દેશ માટે ગૌરવનો વિષય છે. આ સાત વર્ષની અગ્નિપરીક્ષા માટે તેઓ સંપૂર્ણ સમર્પિત છે.

ઉકર્ષક જીવન યાત્રાનો પ્રેરણાદાયક અંજામ – કુ. હેતલ કટારમલની કથા માત્ર તેમની પોતાના માટે નથી. તે દર્શાવે છે કે નૃત્ય જેવી કળાને કેવી રીતે આરાધનાનું સ્વરૂપ બનાવી શકાય છે. તેમની મહેનત, પ્રતિભા અને સપનાને સાકાર કરવાની દ્રઢ ઈચ્છાશક્તિ દરેક માટે પ્રેરણાનું સૂત્ર છે.માતા-પિતાના માર્ગદર્શન અને પરિવરના સહકારને કારણે તેમની સફળતા શક્ય બની છે. તાજેતરમાં જ તેમની જીવનસાથીના નંદા પરિવારે પણ તેમની નૃત્યકલા પ્રત્યે અદભૂત પ્રોત્સાહન આપ્યું છે. નંદા પરિવારના સાથ-સહકારથી હવે હેતલ પોતાની કલાને નવું આકાશ આપી રહી છે. આ પ્રોત્સાહનથી તેઓ નૃત્યના ક્ષેત્રે નવા મુકામ સર કરવા માટે વધુ ઉત્સાહિત છે.
હેતલ કટારમલનું જીવન સત્ય છે કે પ્રતિભા, મહેનત અને અનુકૂળ પરિસ્થિતિઓ સાથે સપનાને સાકાર કરવું શક્ય છે. તેમની કથાએ સમગ્ર શ્રી કચ્છી ભાનુશાલી સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનો સ્વરૂપ બની દ્રઢ સંદેશ આપ્યો છે.છેલ્લે હેતલ એ પોતાની આ જીવન યાત્રામાં સાથ આપનાર હર એક વ્યક્તિ નો ખરાહર્દય થી આંસુઓ ની અશ્રધારા સાથે આભાર વ્યક્ત કર્યો કે તમે સૌ મારી સાથે હતા તેથી જ આ શક્ય બન્યું છે.એટલે કે હેતલ ની ઓળખ માત્ર તમે જ છો

રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

Leave A Reply

Your email address will not be published.