ગુજરાત વિધાનસભા 20222 ની ચૂંટણી માં હાલ ના દિવસો માં અલગ અલગ પક્ષો દ્વારા આપેલ ટિકિટો ને લઈને ને કહી ખુશી તો કહી ગમ તો વાતાવરણ જોવા મળ્યો, બનાસકાંઠા જિલ્લા ના ધનેરા વિધાનસભા જેમાં દાંતીવાડા તાલુકા નો પણ સમાવેશ થાયે છે

અને આ બને તાલુકા માં હાલ ભાજપ પક્ષ દ્વારા જાહેર ઉમીદવાર ને લઈને પક્ષ ના નેતાઓ અને કાર્યકર્તાઓ માં ભરી રોષ જોવા મળ્યો હતો અને પક્ષ દ્વારા હર હંમેશા લોકો ના સાથે રહેનાર અને પક્ષ ને મજબૂત કરવા માટે કાર્ય કરનાર ભાવિ ઉમેદવાર અને દાવેદારો ની ઉપેક્ષા કરીને ટિકિટ આપવા માં આવી હાલ લોક ચર્ચા થયી રહી છે
જમે તારીખ 14-11-2022 ના રોજભાજપ ના માવજી ભાઈ દેસાઈ અપક્ષ મા વિધાન સભા ની ચૂંટણી લડે તે માટે દરેક સમાજ એક થયો છે અને ધાનેરા તાલુકાના વાલેર ગામ નજીક માવજી ભાઈ દેસાઈ નાં સમર્થન મા જાહેર સભા નું આયોજન કરવમાં આવ્યું હતું જેમાં ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકા માંથી હજારો કાર્યકર્તા માવજીભાઈ દેસાઈ ના સમર્થન માં ઉમટ્યા હતા આ સભા માં ભારતીય જનતા પાર્ટી સહિત કોંગ્રેસ પક્ષ નાં નેતાઓ ની હાજરી પણ જીવ મળી માવજી ભાઈ દેસાઈ અપક્ષ માંથી ઉમેદવારી કરે તેવી સમાજ ના આગેવાનો ની માગ છે