માંડવી સતસંગ આશ્રમ મદયે વિશ્વનાથ મહાદેવ ના સાનિધ્ય માં વૈદિક ધર્મ ઉતકર્ષ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્ર અને લોક કલ્યાણ ના ઉદ્દેશ્ય થી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ચાલી રહેલા મહારુદ્ર યજ્ઞ એવમ સતચંડી યજ્ઞ માં અંતર્ગત પર્યાવરણ ના જતન રૂપે વિશ્વ હિન્દુ પરિષદ માંડવી પ્રખંડ દ્વારા વૃક્ષા રોપણ ની કામગીરી કરવામાં આવેલ સાથે ૧૧૦૮ પાર્થિવેશ્વર શિવલિંગ નું પૂજન અભિષેક થયેલ જેમાં જિલ્લા બીજેપી ઉપપ્રમુખ રાહુલભાઈ ગોર, ભચાઉ નગરપાલિકા ના પૂર્વપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, જિલ્લા યુવા મોર્ચા ના અધ્યક્ષ તાપશભાઈ શાહ, માંડવી બીજેપી ના પ્રમુખ દેવાંગભાઇ દવે, ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઈ થાનકી, યુવા મોર્ચા મંત્રી મુકેશભાઈ જોશી, વૈભવ સંઘવી, વિશ્વ હિન્દુ પરિષદ ના વિભાગ મંત્રી કૃષ્ણકાંતભાઈ પંડ્યા, ચંદુભાઈ રૈયાણી, લક્ષમણસિંહ સોઢા, દીપેશભાઈ જોશી, જીગરભાઈ બાપટ,રમેશભાઈ થલેશ્વર, હરીશભાઈ ગણાત્રા,દિનેશભાઇ ભાનુશાલી, પાર્થભાઈ જોશી,મહંત શ્રી દિલીપગીરી બાપુ, પ્રવિણસિંહ જાડેજા,સહિત ના સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેવું વિશ્વ હિન્દુ પરિષદ પ્રચાર પ્રસાર ધૈર્યભાઈ કાનાણી ની અખબારી યાદી માં જણાવ્યુ હતું.