Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખોડા ગામે અંબા જીનિંગ ખાતે ભજન સત્સંગ કાર્યક્રમસાથે પત્રકાર સન્માન સમારોહ યોજાયો.

0 42

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખોડા ગામે અંબા જીનિંગ ખાતે ભજન સત્સંગ કાર્યક્રમસાથે પત્રકાર સન્માન સમારોહ યોજાયો.
કાંકરેજ તાલુકાના ખોડા સરપંચ શ્રી માધાભાઇ પટેલ અને સામાજીક કાર્યકર તેમજ પરમ પૂજ્ય શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી ના સ્વધાય પરીવાર ના વિચાર ધરાવતા યુવા નેતા દિનેશભાઈ માધાભાઇ પટેલ દ્વારા ખોડા ગ્રામ પંચાયત સરપં ચ દ્વારા અંબા જીનિંગ માં ભજન સત્સંગ કાર્યક્રમ અંતર્ગત કાંકરેજ તાલુકાના પત્રકાર મીત્રો નું ફૂલહાર તેમજ સાલ ઓઢાડી ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું તે બદલ વિશ્વની ચોથી જાગીર ની કદર કરનાર વ્યક્તિ ને મીડિયા ના હેમુભા વાઘેલા અને ગોવિંદ ચોધરી.દ્વારા માધાભાઇ પટેલ સરપંચ શ્રી ખોડા અને દિનેશભાઈ પટેલ નું પણ ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં એક સામાજીક કાર્યકર તેમજ ખોડા સરપંચ ધાર્મિક કાર્યો માટે ખુબજ સરસ રીતે કામગીરી કરી રહ્યા છે ત્યારે દરેક સ્થળે પત્રકારો નું સન્માન કરવામાં આવે છે પરંતુ આ વખતે કંઈક અલગ અંદાજ માં સમગ્ર કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા મિત્રો સાથે મિટિંગ કરી ને પોતાના અંતર ની વાત કરી હતી જેમાં સ્વાધ્યાય પરિવાર ના સભ્ય હોવાથી તેમના ઉચ્ચ વિચારો માં વ્યસન મુક્તિ. સામાજીક કુરિવાજો. નારી તું નારાયણી દુર્ગા નું સન્માન. તેમજ લોકહિત માટે સતત સક્રિય ભૂમિકા અદા કરી ને લોકોના પ્રશ્નોને વાચા આપતું મીડિયા પર અતૂટ વિશ્વાસ રાખીને પોતાના પિતાશ્રી માધાભાઇ પટેલ એ પાંચ વર્ષ સુધી કામ કરી ને ખોડા ગ્રામ લોકો ના દિલ જીતી લીધાં છે અને હવે ટૂંક સમયમાં 2022ની ચુંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના નાનોટા અંબા જીનિંગ માં ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે સંત શ્રી શ્યામપ્રકાશ બાપુ. મોતિવન મહારાજ. મહંત શ્રી હરેશગિરિ. દીયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા (સરપંચ દીયોદર) બાબુભાઈ ચૌધરી. રાયમલભાઈ પટેલ. બાબુભાઈ નારણભાઈ(નચિકેતા પ્રમુખ) પ્રકાશભાઈ પટેલ (ડેલિગેટ) તેમજ ગામના આગેવાનો વડીલો હાજર રહ્યા હતાં

Leave A Reply

Your email address will not be published.