રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ
લોડાઈ નગરની ધન્ય ધરા પર શ્રી શાંતિનાથ દાદા ની 140 વર્ષ પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે જે જિનાલયનીભૂકંપ બાદ 19 મી ધ્વજારોહણ ચડાવવામાં આવી જે મુખ્ય ધજા નો લાભ માતૃશ્રી ભાગ્યવંતીબેન ધનજીભાઈ મહેતા પરિવાર લોડાઈ ભચાઉ તથા મણિભદ્ર વીર દાદા ના ધ્વજા લાભાર્થી માતૃશ્રી ચાંદુ બેન ચુનીલાલભાઈ મહેતા પરિવાર લોડાઈ ભુજ મુન્દ્રા તથા શાસનદેવી પદ્માવતી દેવી માતાના ધ્વજા ના લાભાર્થી માતૃશ્રી શાંતાબેન કપૂરચંદભાઈ મહેતા પરિવાર લોડાઈ ભુજ સુરત તથા સવારની નવકારસી તથા બપોરની સાધર્મિક ભક્તિ તથા સુખડ કેસર દિવેલ લાભાર્થી માતૃશ્રી ચાંદુ બેન નાનાલાલ પોપટલાલ મહેતા પરિવાર મુંબઈ તથા અઢાર અભિષેક અને સતર ભેદી પૂજા લાભાર્થી મહેતા સાકરચંદભાઈ ગેલાભાઈ પરિવાર હ.. નવીનભાઈ. અંકિત ભુજ લોડાઇ પ્રભુજીનીઆંગી ના લાભાર્થી માતૃશ્રી દેવકુવર બેન જગશી ભાઈ ગેલા ભાઈ પરિવાર લોડાઇ ભૂજ મુન્દ્રા અને લોડાઈ ગૌશાળા મા ગાય માતાને ચારો ના લાભાર્થી મહેતા વાડીલાલભાઈ કરમચંદભાઈ તથા મેતા જેંતીલાલભાઈ વેલજીભાઈ લાભાર્થી રહયા હતા

મુખ્ય ધજા ના લાભાર્થી તથા વિવિધ ધજા ના લાભાર્થી ના નિવાસ સ્થાને થી ધજા ની શોભાયાત્રા નીકળી હતી જેમા સગા.સંબંધી મિત્રો.મહેમાનો.સંબંધીઓબહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વાજતે ગાજતે શોભાયાત્રા યોજાઇ હતીજેમા જય મહાવીર ના શંખનાદ સાથે લોડાઇ મહાવીર મય બની ગયું હતું તથા આવતા વર્ષ ના ધજા ના ચડાવા લેવામાં આવ્યા હતા લોડાઇ માં જાણે પૃતિષઠા જેવો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગ ને ચાર ચાંદ લગાવવા શ્રી લોડાઇ જૈન સંઘ ના ભાઈ ઓ એ જહેમત ઊઠાવી હતીહર્ષદભાઈ મહેતા પ્રમુખ રાજેશ વાડીલાલ નગરશેઠ ઊપસ્થિત રહ્યા હતા