અત્રેની અમરેલી જિલ્લા જેલ ખાતે રાજ્ય કક્ષાના વન મહોત્સવ ૨૦૨૧ અંતર્ગત આજ તા.૦૫/૧૦/૨૦૨૧ ના રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં રાજુલા નગર પાલીકાના માજી. પ્રમૃખશ્રી, વલકુભાઇ ઝાઝરડાનાઓ મુખ્ય અતિથી તરીકે અત્રેની જેલ ખાતે પધારેલ હતા. જેમના વરદહસ્તે વૃક્ષારોપણના કાર્યક્રમ શરૂઆત કરવામાં આવેલ હતી. જે કાર્યક્રમમાં અત્રેની જેલના અધિક્ષકશ્રી, તથા જેલના કર્મચારીઓ અને બંદીવાનો દ્વારા ઉત્સાહ ભેર ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમ અંતર્ગત જેલની અંદર આવેલ ખુલ્લી જગ્યામાં અલગ-અલગ પ્રકારના રોપા તથા છોડ વાવવામાં આવેલ હતા.