Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા તાલુકાના નેનાવા ગામની પરિણીતાને બાળક ન થતાં સાસરીપક્ષ દ્વારા શારિરીક- માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. દરમિયાન તેણીનું તાવ આવવાથી મોત થયું

0 406

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના નેનાવા ગામની પરિણીતાને બાળક ન થતાં સાસરીપક્ષ દ્વારા શારિરીક- માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. દરમિયાન તેણીનું તાવ આવવાથી મોત થયું હતુ. આ અંગે રાજસ્થાન સ્થિત તેના પિયરપક્ષ દ્વારા ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.રાજસ્થાનના બાડમેર જીલ્લાના ગીડા તાલુકાના સણતરાના મીનાકંવરના લગ્ન વર્ષ 2012માં ધાનેરા તાલુકાના નેનાવા ગામે મોતીસિંહ સોહનસિંહ દેવડા સાથે થયા હતા. જોકે,તેણીને બાળક ન થતું ન હતુ. હોસ્પિટલમાં સારવાર કરાવતાં તેણીને ગર્ભાશય ન હોવાના કારણે બાળક નહી થાય તેમ તબીબે જણાવ્યું હતુ. આથી પતિ મોતિસિંહ સહિત પરિવારના શ્રવણસિંહ સોહનસિંહ દેવડા, મોરકવર સોહનસિંહ દેવડા, મનસાકંવર શ્રવણસિંહ દેવડા અને બનેસિંહ પાબુસિંહ સોઢાએ શારિરીક- માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન 8 માર્ચ 2023ના દિવસે તાવ આવતાં મીનાકંવરનું મોત થયું હતુ. જ્યાં તેણીના પિયરપક્ષના લોકો ગામમાં આવ્યા હતા. ગ્રામજનોએ પણ કહ્યુ હતુ કે, મીનાકંવરનું તાવ આવવાથી મોત થયું છે. જો કોઇ ભૂલ કરી હશે તો સાસરીયાવાળા પાસે રૂપિયા પચાસ લાખનું ગૌદાન કરાવીશુ. આ અંગે ભોમસિંહ રામસિંહ રાજપૂતે તમામ સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Leave A Reply

Your email address will not be published.