ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પૂર્વ સરપંચના મોતનું રાઝ ખુલી ગયું છે. પૂર્વ સરપંચનું આકસ્મિક મોત નહીં પરંતુ હત્યા કરવામાં આવી હતી. મૃતકની પત્ની અને તેના પ્રેમીએ મળીને હત્યા કરી નાખી હતી. હત્યાને આકસ્મિક મોતમાં ખપાવી દેવામાં આવ્યું હતું. મૃતકના અગ્નિ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા. પોલીસને શંકા જતા તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી..

સુરત ગ્રામ્ય એલ સી બી પોલીસ શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગીરિરાજ સિંહ અશોકસિંહ અને હેડ કોન્સ્ટેબલ રણછોડભાઈ કાબા ભાઈ ને બાતમી મળતા એલ. સી. બી. શાખાની ટીમ સાથે સયુંકત ઓપરેશન પાર પાડી જિણવટ ભરી તપાસ કરી આરોપી ને દબોચી લીધા હતા અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતા હત્યારી પત્ની ડિમ્પલ સેવણીયા ઐતિહાસિક દાંડી યાત્રાના ગાંધી આશ્રમ ઉમરાછીના સંચાલન કરતા હતા. જ્યારે હત્યારો પ્રેમી હેમંત ઉર્ફે પિન્ટુ શર્મા અમદાવાદ ઓફિસથી ગાંધી આશ્રમની વિઝીટ કરવાની નોકરી કરતો હતો. આમ, વારંવાર મુલાકાતો થતી હોવાથી બંનેને આંખ મળી ગઈ હતી. જોકે, આ પ્રેમસંબંધમાં પતિ વીરેન્દ્રસિંહ સેવાનીયા આડખીલી બનતો હોવાથી તેને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું હતું. .પ્લાન પ્રમાણે ડિમ્પલે 15મેની રાતે પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. માજી સરપંચ અને વ્યવસાયે વકીલ એવા પતિની અડધી રાત્રે પત્નીના પ્રેમીએ પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ પછી પત્નીએ હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની સતર્કતાને કારણે સમગ્ર હત્યાકાંડ સામે આવ્યો છે… સુરત ગ્રામ્ય પોલીસે હત્યા કરનાર પત્ની ડીમ્પલ અને પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્માની ધરપકડ કરવામાં આવી છે..