હિંમતનગર તાલુકાના વાવડી ગામે સમર્પણ શૈક્ષણીક ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન અને સાહિત્ય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વાવડી ગામમાં સમર્પણ શૈક્ષણીક ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સરકારી સેવાઓમાં નવનિયુક્ત યુવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.તથા સ્ટેશનરી વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ આ કાર્યક્રમ સમાજના અગ્રણી શ્રી શશીકાંતભાઈ અને શ્રી દુર્ગેશભાઈ ના સાનિધ્યમાં યોજવામા આવ્યો આવ્યો હતો.તેમજ ગામના અન્ય આગેવાનો અને બાળકો , યુવાનો ,બહેનો, માતાઓ વગેરે હાજરી આપી આ કાર્યક્રમ ને સફર બનાવવામાં સાથ સહકાર આપ્યો હતો.
