અનાપુર સરકારી શાળાના સ્ટાફ અને ગ્રામજનો દ્વારા બોર્ડના વિધાર્થીઓને મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે અનાપુરગઢ ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સ્ટાફવતી અને ગામના અગ્રણીઓ દ્વારા બાપલા સેન્ટર ખાતે બાળકોને શાળામાં પ્રવેશ આપતી વખતે ચોકલેટ આપી બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે એવી શુભકામનાઓ આપવામાં આવી હતી એ પ્રસંગે બાપલા શાળાના આચાર્યશ્રી શંકરભાઈ સાહેબ અને બાપલા ગામના આગેવાનો દ્વારા પણ વિધાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી…