શ્રી મતી એમ. પી. ધાનકા આશ્રમશાળા મા 9 વર્ષથી રસોઈયા તરીકે સેવા બજાવનાર શ્રી રતિલાલ નાથાભાઈ સોલંકી વિદાય સમારંભ યોજવામાં આવ્યો
દાહોદ જિલ્લાના નગરાળા ખાતે આવેલ શ્રી મતી એમ. પી. ધાનકા આશ્રમશાળા મા સતત 29 વર્ષથી રસોઈયા તરીકે અવિરત સેવા બજાવનાર શ્રી રતિલાલ નાથાભાઈ સોલંકી વય નિવૃતિ થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમા શાળાના આચાર્ય શ્રીમાવાભાઈ પટેલ સાહેબ, ઉચ્ચતર બુનિયાદીના આચાર્યશ્રી, કેમ્પસ ડાયરેક્ટર સાહેબશ્રી, સ્ટાફગણ તેમજ શાળાના બાળકો હાજર રહી અને તેમનું આવનારું જીવન નીરોગી, સુખથી ભરેલું અને આનંદમય રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી.હતી
રિપોર્ટર કિશન મોહનિયા બૌદ્ધિક ભારત ન્યુઝ દાહોદ