રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી
ભિલોડા તાલુકાના જનાલી ગામમાં વાલ્મિકી સમાજના ખતુભાઈ હીરાભાઈ ના ફળિયામાં પંચાયત દ્વારા આર.સી.સી રોડનું કામ હાથ કરવામાં આવ્યું છે જેથી રોડ બનાવવા માટે નડતરરૂપ પથ્થર અને માટી ઉઠાવીને એ જ સમાજના બીજા ફળિયાના નાકે ઠાલવતા વાલ્મીકી સમાજના માજી સરપંચ ગોવિંદભાઈએ સરપંચને ટેલીફોનિક વાત કરતા જણાવ્યું હતું કે અમારે આવવા જવાનો રસ્તો છે અને ચોમાસાના પાણીનો નિકાલ પણ છે તો તમે આ જે ઢગલો કર્યો છે તે અહીંથી દૂર કરાવો તો સરપંચે વાલ્મિકી સમાજ વિશે અપશબ્દો બોલતા સમાજમાં રોજ રોષ ફાટી નીકળ્યો છે આ બાબતે લાલજી ભગત ની આગેવાની હેઠળ સમાજ ભેગો થશે અને સરપંચ સામે શું કાર્યવાહી કરવી તે નિર્ણય લેવાશે.