ખરોડીયા ચોકડી પર ટ્રીપલ અકસ્માત, બાઇક, ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 1બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું
બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના ખરોડીયા ચોકડી પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બાઇક, ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 1નું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. ખરોડીયા ચોકડી મોતની ચોકડી બની રહી છે. 4 માસમા અકસ્માતમાં 7 લોકોના જીવ ગયા છે.
અન્ય એક ઘટનામાં, રાજકોટના ખોડિયાર ઈંડસ્ટ્રીયલ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવક દોડીને જઈ રહ્યો હતો ત્યારે જ કાર સાથે અથડાયો અને ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવકનું મોત અકસ્માતે છે કે હત્યા તે બંને દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસને શંકા એવી પણ છે કે યુવક ભયભીત હોવાથી દોડીને જઈ રહ્યો હતો કે પ્રિ-પ્લાન યુવકની હત્યા કરવામાં આવી છે. હાલ તો પોલીસે મૃતક કોણ છે અને તેના મોતનું સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.