Publisher Theme
I’m a gamer, always have been.

ગાંધીનગરમાં યોજાયેલ પુસ્તક વિમોચન કાર્યક્રમનો ફિયાસ્કો

0 161

રિપોર્ટર વિજય ઠક્કર બૌદ્ધિક ભારત ગાંધીનગર

ગુજરાત સહિત ભારતભરમાં કેટલાક લોકો પી.એચ.ડી ની ડીગ્રી માટે પણ ભૂતિયા લોકો પાસે થીસિસ લખાવી દેતા હોય છે. તેમજ કેટલાક રાજકીય નેતાઓના સાહિત્યક પુસ્તકો – કવિતાઓ રૂપિયા લઇને ભૂતિયા લેખકો લખી દેતા હોવાના સમાચારો પણ અવાર-નવાર મીડીયામાં આવેલા છે. હવે સાહિત્ય જગતમાં પણ આવુ બનવાની શરૂઆત પણ થઈ હોવાનું કેટલા સાહિત્ય વર્તુળમાં ચર્ચાય છે. તાજેતરમાં જ ગાંધીનગર ખાતે એક કહેવાતા મહિલા સાહિત્યકારે, બબ્બે પુસ્તકોનું વિમોચન ગાંધીનગર ખાતે યોજ્યું હતું. ત્યારે સાચા અને સંનિષ્ઠ સાહિત્યકારો અને કવિઓ મરક-મરક હસતા હતા. હવે તો સાહિત્યકારની અને કવિઓની બેનામી હાટડીઓ ફાટી નીકળે તો નવાઇ નહીં…! વિમોચનના આ કાર્યક્રમમાં જેટલા આમંત્રણ કાર્ડ આપવામાં આવેલા તેમાંથી લગભગ માંડ ૨૫% જ હાજર રહેલા હતા. આમ આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો જ ગણાય. કેટલાક મહાનુભાવો તો ગાંધીનગરના બે પ્રતિષ્ઠિત વ્યક્તિ આવવાના છે, તેમ માની આવેલ હતા. અલબત્ત આ બે મિત્રોએ ગેરહાજર રહેવાનું મુનાસીબ માનેલ. સૌથી વધુ હાસ્યાસ્પદ અને કાર્યક્રમના ફિયાસ્કાની વાત એ છે કે મોટે ઉપાડે જે વ્યક્તિને ખાસ મુખ્ય અતિથી બનાવેલા અને બેનરમાં પણ નામ લખેલ તે જ આવ્યા નહીં! તેમજ લેખિકાના કોઈ કુટુંબીજનો પણ આ કાર્યક્રમમાં આવેલ નહિ. સાહિત્ય જગતમાં ચાલતી ચર્ચા મુજબ આ ખાસ અતિથી વિમોચન પ્રસંગે એટલા માટે આવ્યા નહી કે ક્યાંક લોકોની નજરે ચડી જઈશું તો..! (તસ્વીર પ્રતીકાત્મક છે)

Leave A Reply

Your email address will not be published.