Publisher Theme
I’m a gamer, always have been.

અંબાજી મંદિરના ભંડારામાં ભેટમાં આપેલી 2.39 કરોડની 90 ટકા ચાંદી નીકળી નકલી

0 148

– વેપારીઓની ભક્તો અને માતાજી સાથે છેતરપીંડી

– માં અંબાના ચરણે ધરાતાં ચાંદીના આભૂષણ, છત્ર, ત્રિશુલ સહિતની ભેટો ડુપ્લીકેટ નીકળે છે

આરાસુરમાં બિરાજમાન જગતજનની માં અંબા પ્રત્યે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ભક્તો પોતાની માનતા – બાધા પૂરી કરવા માટે માના ચરણોમાં સોના ચાંદીની વસ્તુ ભેટ કરતા હોય છે જેમાં માતાજીના ભંડારામાં આવતી ચાંદીની ભેટમાં આવતી મોટાભાગની ચાંદી નકલી નીકળે છે.

શક્તિપીઠ અંબાજી મંદિરમાં  દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો  પોતાની જે પણ બાધા માનતા કરી  મંદિરના ભંડારામાં નાણાં ઉપરાંત સોના ચાંદીના છત્ર, ત્રિશૂળ, પતરા ઉપર માતાજીના હાથ પગની છાપ, ઘર, પાદુકા, યંત્ર, ટીકો જેવી વસ્તુઓ ભંડારામાં ભેટ કરે છે.  ભક્તો પૂજાની થાળી સાથે તેમજ સોના ચાંદીની દુકાનો પરથી ખરીદી કરેલી આ વસ્તુઓ મોટાભાગે નકલી નીકળે છે.  ભંડારામાં આવેલી  આવી વસ્તુઓ ચકાસણી દરમ્યાન ૨.૩૯ કરોડની કિંમતની ૩૮૬ કિલો જેટલી એટલે કે ૯૦ ટકા ચાંદીની ભેટો નકલી નીકળી છે.જોકે આ નકલી ચાંદીને ખોટી ખાખર તરીકે ઓળખવામાં આવે છે.  નકલી ચાંદીની ભેટ તરફ નજર કરીએ તો વર્ષ  ૨૦૧૯- ૨૦,૧૦૧ કિલો ચોખ્ખી ચાંદીની આવક થઈ હતી જ્યારે ૨૭૩ કિલો ચાંદી ખોટી નીકળી હતી.જ્યારે વર્ષ ૨૦૨૦-૨૧માં ચોખ્ખી ચાંદીની આવક ૯૫ કિલો અનેખોટી ચાંદી ૧૧૩ કિલો નોંધાઈ છે જોકે ખોટી ચાંદીના કારણે ભક્તો અને મંદિર ટ્રસ્ટને વર્ષ દરમ્યાન કરોડોનું નુકસાન થવાની સાથે ભક્તો સાથે છેતરપીંડી થઈ રહી છે ત્યારે જિલ્લા સમહર્તા દ્વારા ભક્તોને અસલી ચાંદી ની જગ્યાએ નકલી ચાંદી પધરાવતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

છેતરપીંડીની ફરીયાદ મળશે તો કાર્યવાહી કરાશે,મંદિર ટ્રસ્ટ

અંબાજીમાં આવતા ભક્તો પોતાની જાતે જ ભંડારામાં ચાંદીના આભૂષણોની ભેટ કરતા હોય છે. ે જે ભેટ સાચી કે ખોટી તે ભંડારાની ગણતરી સમયે જાણી શકાય છે.જેમાં નકલી ચાંદીની ખરીદી  ક્યાંથી કરવામાં આવી તે જાણી શકાતું નથી. કોઈપણ ભક્તે ખરીદી કરેલી સામાન્ય ભેટ પણ મંદિર ટ્રસ્ટને બતાવી ભેટ કરશે અને નકલી જણાશે તો વેપારી સામે કડક કાર્યવાહી કરવાનું મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.