પ્રાંતિજ શહેર માં ભારતિય જનતા યુવા મોરચા ના આગેવાનો દ્વવારામોરબીમાં મૃત્યું પામેલા દિવ્ય આત્માઓની શાંતિ માટે કેન્ડલ માર્ચ કાઢી પ્રાથના કરવામાં આવી
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ શહેર માં ભારતિય જનતા યુવા મોરચા ના આગેવાનો દ્વવારા ગત રોજ સાંજે મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓની ચિર શાંતિ તેમજ ઘાયલ થયેલા લોકોની સ્વાસ્થ્ય સલામતીની પ્રાર્થના કરવામાં આવી સાથે કેન્ડલ માર્ચનું આયોજન કરી, મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી