મહેસાણાના રાધનપુર હાઇવે ઉપર આવેલા પ્રમુખ ફ્લોરા ફ્લેટ માં દશેરાના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.નવરાત્રિના પૂર્ણાહુતિ બાદ યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે નવચંડી યજ્ઞમાં વિધિવત્ પૂજા-અર્ચના કરી દરેક માઈ ભક્તોએ માતાજીની આરાધના કરી.
દશેરા નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સોસાયટીના રહીશોએ આનંદ અને ઉત્સાહ થી ભાગ લીધો અને યજ્ઞમાં જોડાયા.
રિપોર્ટર શૈલેષ જોષી બૌદ્ધિક ભારત મહેસાણા