ધાનેરાના તુલસીનગર શોપિંગ સામે નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઇ જતાં દુકાનદારો પરેશાન

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરાના તુલસીનગર શોપીંગ સામે નેશનલ હાઇવે ઉપર વરસાદી પાણી ભરાઇ જતાં તેમજ ગટરના પાણી ઉભરાવાના કારણે તુલસીનગરના શોપીંગમાં દુકાનોના શટર આગળ પણ એક-એક ફુટ પાણી ભરાઇને પડ્યા રહેતા હોવાથી દુકાનદારો પોતાનો ધંધો પણ કરી શક્તા નથી તેમજ પોતાની દુકાનમાં સામાન પણ રાખી શક્તા નથી. આ બાબતે અફાભાઇએ જણાવ્યું હતું કે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિરાકરણ આવતું ન હોવાથી વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને ગયા વર્ષે આ દુકાનદારોએ હાઇવે ઉપર બેસી જતાં થોડો સમય માટે નાળાઓ બનાવીને પાણીનો નિકાલ કર્યો હતો. પરંતુ હવે તો આ વાત પણ સાંભળતા ન હોવાથી વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને હાઇવે રસ્તો બ્લોક કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Comments (0)
Add Comment