ડુમેચા ગામે પ્રા.શાળામાં બાલવાટીકા અને આંગણવાડીના બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ માં યોજાયો

રિપોર્ટર દિનેશચંદ્ર શાહ દહેગામ

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ અંતર્ગત દહેગામ તાલુકાની ડુમેચા પ્રા.શાળામાં બાલવાટીકા અને આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.જેમાં ગુજરાત સરકારના અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી આર.બી.બ્રહ્મભટ્ટ સાહેબ , તાલુકા ભાજપ અગ્રણી ચેતનભાઈ પટેલ , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જીતેન્દ્રભાઈ મોદી , ડાયેટ લેક્ચરર શ્રી સુરેશભાઈ ડોડીયા અને બી.આર.સી.દિલીપભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો. બાલવાટીકામાં ૨૧ અને આંગણવાડી માં ૪ બાળકોને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો. પ્રવેશોત્સવ દરમ્યાન ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમ ને સફળ બનાવવા સી.આર.સી.વિપુલભાઈ પટેલ, આચાર્યશ્રી જગદીશભાઈ પટેલ અને શાળા પરિવારે ખૂબ મહેમત ઉઠાવી હતી.

Comments (0)
Add Comment