રિપોર્ટર અનિલ મકવાણા બૌદ્ધિક ભારત પ્રાંતિજ
ભારતીય જનતા યુવા મોરચા હિંમતનગર શહેર દ્વારા બાલાસોર ઓરિસ્સા રેલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવગંત સૌ આત્માઓને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હિંમતનગર શહેરની અંદર યોજાયો. આ કાર્યક્રમ મા હિંમતનગરના ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલા સાહેબે હાજરી આપી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી. જેમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને યુવા મોરચાના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના કોર્પોરેટરો જોડાયા હતા.