અરવલ્લી:ભિલોડા તાલુકાના ભવાનપુર ગામમાં “આરોગ્યમ્ ઇવમ્ પરામર્શ શિબિર” કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર અલ્પેશ ભાટિયા અરવલ્લી

અરવલ્લી જીલાનાં ભિલોડા તાલુકાના ભવાનપુર ગામમા સુર્યા ફાઉન્ડેશન, ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન, ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી તેમજ આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા પંચમ પ્રાકૃતિક ચિકિત્સા દિવસ નિમિત્તે “આરોગ્યમ્ ઇવમ્ પરામર્શ શિબિર” નું આયોજન અરવલ્લી જીલાનાં ભિલોડા તાલુકાના ભવાનપુર ગામમાં કરવામાં આવ્યું હતું. આ શિબિર માં પાંચ મહાભૂતો થકી શરીર ને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય તેની જાણકારી આપવામાં આવી હતી. આ શિબિરમાં ડૉ.ઉષાબેન મકવાણા , સુર્યા એકલવ્ય સૈનિક સ્કુલ ના મેનેજર સંજયભાઈ વશિષ્ટ, સમર્જિતસિંહ યાદવ, બળવંતસિંહ ડાભી, સુર્યા આદર્શ ગાંવ યોજના ગુજરાતના પ્રમુખ મહિપતજી, જયદીપજી ઠાકોર તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Comments (0)
Add Comment