સુરત:-ઝારખંડ સરકારે સકલ જૈન સમુદાયના પવિત્ર તીર્થસ્થળ શ્રી સમેદ શિખરજીને ઈકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે જાહેર કર્યું છે, જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. જૈન સમુદાયના 20 સંતોએ આ તીર્થસ્થાન પર મોક્ષ મેળવ્યો હોવાથી તે ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. આ જાહેરાતથી સમગ્ર જૈન સમાજની આસ્થાને ઠેસ પહોંચી છે. દેશના વિવિધ શહેરોમાં જૈન સમાજ દ્વારા અહિંસક રેલીઓ કાઢવામાં આવી છે. આ ક્રમમાં, સુરતના જૈન સમાજે આજે, મંગળવાર, 3 જાન્યુઆરી, 2023 ના રોજ ભારે રોષ સાથે મૌન રેલીનું આયોજન કર્યું હતું.
ઝારખંડ અને પાલિતાણાની સાથે શિખરને પણ તીર્થધામ જાહેર કરવામાં આવે.
જો ઇકો ટુરીઝમ કરવામાં આવે તો સ્થળની પવિત્રતા નષ્ટ થશે.
પાલિતાણા સહિતના યાત્રાધામો પર માંસ અને દારૂનું વેચાણ બંધ કરવામાં આવે.
જેમાં સુરતના જૈન સમાજના ચાર સંપ્રદાયો શ્વેતાંબર, દિગંબરા, તેરાપંથ અને સ્થાનકવાસીના હજારો લોકોએ ભાગ લીધો હતો. આ રેલીમાં સંતો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સૌ પગપાળા મૌન રેલીમાં જોડાયા હતા અને કલેક્ટર કચેરી સુધી ગયા હતા. સકલ જૈન સમાજ સુરતનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે તેમના પવિત્ર તીર્થસ્થળ શ્રી સમેદ શિખરજીને ઈકો-ટુરીઝમ સાઈટમાંથી હટાવીને ફરી એકવાર પવિત્ર તીર્થધામ તરીકે જાહેર કરવામાં આવે
સુરતના કાપડ અને હીરાના બે મુખ્ય વેપારમાં જૈન સમુદાયનું વર્ચસ્વ છે. હીરા બજારમાં પાલિતાણાના જૈનોનું વર્ચસ્વ છે તો બીજી તરફ કાપડ માર્કેટમાં મારવાડના જૈનોનું વર્ચસ્વ છે. સમ્મેદ શિખરજીના મુદ્દે આજે સવારે 9 વાગ્યે પાર્લેપોઈન્ટથી નીકળેલી રેલીમાં બંને ઉદ્યોગો સાથે જોડાયેલા જૈનોએ એક થઈને ભાગ લીધો હતો. રેલીમાં સામેલ મોટાભાગના લોકોએ સફેદ કપડા પહેર્યા હતા. હીરાના વેપારીઓ, દલાલો વિરોધ રેલીમાં જોડાવા મોડેથી ઓફિસે ગયા હતા, જ્યારે કાપડના વેપારીઓએ બપોર સુધી હડતાળની જાહેરાત કરી દીધી હતી. જે મુજબ આજે બંને બજારો બપોર સુધી બંધ રહી હતી.