ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લાડવેલ પાસેથી પસાર થતી નર્મદા નહેર માં કપડવંજ તાલુકાના પરીવારે અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હતું. ત્યારે લગભગ બે દિવસ બાદ કઠલાલ ના અપ્રુજી પાસેથી પસાર થતી નર્મદા નહેર ની મુખ્ય નહેરમાંથી મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.ઝાલા આશાબેન મહેન્દ્રભાઈ ઉમર 28 વર્ષ તથા એક બાળક મયંક ઉંમર 3 મૂકતદેહ અપ્રુજી પાસે પસાર થતી નહેરમાંથી મળી આવ્યો હતો સમગ્ર મામલે કઠલાલ પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી હતી. મરણ ગયેલ મહિલાના પરિવારજનો કઠલાલ પહોંચ્યા હતા અને મહિલા તથા બાળક ના મૂત દેહને કઠલાલ સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મહત્તમ અર્થે લાવવામાં આવ્યા હતા: