શ્રવણ સુખધામ સંસ્થા અને આર.સી.સેલ્સ ગૃપ દ્વારા સન્માનિત કયૉ
શ્રવણ સુખધામ સંસ્થા વિહંગનો વિસામો અબોલ જીવ સેવા યજ્ઞ ની શુભેચ્છા મુલાકાતે ગુજરાતના પ્રખર લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે સંસ્થાના આદ્યસ્થાપક ઇન્દુ પ્રજાપતિ એ સાબરકાંઠા જિલ્લાની શાન સાફો શાલ સન્માન પત્ર અને પક્ષીધર આપી લોક સાહિત્યકાર નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે આર સી સેલ્સ ગૃપ માટીદાર તરફથી માટીના વાસણો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજભા ગઢવી એ અબોલ જીવ સેવા યજ્ઞનાં કાયૅ ને જોઈ સંસ્થા ને ખુબ ખુબ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવી આ સેવાયજ્ઞ ને અવિરત વેગ મળતો રહે અને વધુ ને વધુ અબોલ જીવ ની સેવાઓ સંસ્થા કરતી રહે એવાં આશિષ ઇન્દુ પ્રજાપતિ ને પાઠવ્યા હતા સંસ્થા ની શુભેચ્છા મુલાકાત લય ને અંતરનો રાજીપો વ્યક્ત કરું છું તેવું જણાવ્યું હતું.