કરોડો શ્રધ્ધાળુઓના આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામ અંબાજી દર્શનાર્થે આવેલ પદયાત્રીઓ માટે ધાનેરા દરજી યુવા ક્લબના તમામ સભ્યો દ્વારા સેવા કેમ્પ યોજવામાં આવ્યો. સેવા કેમ્પમાં અરજનભાઈ જેસાજી, અમરતભાઈ શાંતિલાલ, પોપટલાલ પ્રતાપજી, ધીરાજી પ્રતાપજી, મહેન્દ્રભાઈ આસુજી, ગોવિંદભાઈ મફતલાલ, દિનેશભાઈ જડિયા, રમેશકુમાર જેરુપજી, વિકાસભાઈ સમર્તાજી તેમજ અરવિંદભાઈ જીવાણા તેમજ અન્ય સભ્યો અંબાજી આવતા પદયાત્રીઓ માટે પાણી તેમજ ફ્રૂટ ની વ્યવસ્થા કરવામાં આવી.