મેજરપુરા પ્રા. શાળા ના 66 માં જન્મદિવસ ની ઊજવણી કરવામાં આવી.

મેજરપુરા મુકામે શાળા ના 66માં જન્મદિવસ ની ઊજવણી કરવામાં આવી. જેમાં તાલુકા કક્ષાએ થી શ્રી મહેન્દ્રસિંહ બારડ બી.આર.સી.વડગામ , લક્ષ્મણભાઈ નાઈ સી.આર.સી.ધોતા, મેજરપુરા સરપંચશ્રી કીર્તિસિંહ ભાટી, એસ.એમ.સી અધ્યક્ષ દેવુસિંહ ભાટી ,આચાર્યશ્રી મણીભાઈ પંચાલ,માજી આચાર્ય નારજી રાણા , ગુલાબસિંહ, નટવરસિંહ, તથા ગ્રામજનો સૌ મળીને શાળાના જન્મદિવસની ઊજવણી કરવામાં આવી ,બાળકોને કેક, ચોકલેટ ખવરાવી , તથા શાળા ના શિક્ષકશ્રી ઉદયસિંહ સોલંકી તરફથી ભોજન આપવામાં આવ્યું .બી.આર.સી. શ્રી મહેન્દ્રસિંહ બારડ સાહેબ જેઓની સમગ્ર જિલ્લા માં શ્રેષ્ઠ B. R.C ના એવોર્ડ માટે પસંદગી થઈ હોવાથી તેઓશ્રીનું મેજરપુરા પ્રા. શાળા તથા મેજરપુરા ગામ તરફ થી શાલ અને પુષ્પગુષ્છથી સન્માનીત કરવામાં આવ્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજકુમાર પૂરબિયા કર્યું હતું.

Comments (0)
Add Comment