માલોતરા ગામમાં શીતળા માં ના દર્શનાર્થે ભીડ જોવા મળી હતી.

ધાનેરા તાલુકાના માલોતરા ગામમાં પરંપરા અનુસાર દર્શનાર્થે મંદિરે આવે છે તેમજ પોતાની માન્યતાઓ તેમજ પ્રસાદ ચડાવીને દર્શન કરે છે. માલોતરા ગામમાં શીતળા માતાના મંદિરે દર્શન કરવા માટે આજુબાજુના ગામડાઓના તેમજ માલોતરા ગામના લોકો દર્શન કરે છે તેમજ દર્શનાર્થે આવેલા લોકોને કંઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેના માટે માલોતરા ગામના આગેવાનો હરજીભાઈ રામજીભાઈ, મફાભાઈ, માંસુંગભાઈ (પૂર્વ સરપંચ), ગજાભાઈ જોઇતાભાઇ, મંગળાજી રૂપાજી રાજપુત, નાથુંસિંહ દેવડા,પારસિંહ ભૂરાજી રાજપુત જે આગેવાનો દર્શનાર્થી આવેલા લોકોની જરૂરિયાત મદદ જેવી કે ચા નાસ્તો પાણીની સેવાઓ પૂરી પાડે છે.

Comments (0)
Add Comment