વડગામ તાલુકા માં આવેલ મુક્તેશ્વર ડેમમાં માત્ર 6 ટકા પાણી

વડગામ તાલુકા માં આવેલ મુક્તેશ્વર ડેમ માં માત્ર હાલ 6 ટકા પાણી છે.અને તેમાંથી આટલા વરસ થી મોટર દ્વારા પીવા માટે કેટલાક ગામોને પાણી આપવામાં આવતું.પણ આં પાણી પણ 26 જૂનથી બંધ કરવામાં આવેલ છે.અને હાલમાં ડેમ માં આશરે 3 મગર હોવાનું ડેમના અધિકારી રાકેશ ભાઈ ચૌધરી એ જણાવ્યું હતું.ત્યારે રાજ્ય સરકાર ને મુક્તેશ્વર અને કરમાવદ તળાવ માં પાણી ભરવા માટે જે પાઇપ લાઈન માટે લીલીઝંડી આપવામાં આવી છે.તે પાઇપ લાઇન નું કામ તાત્કાલિક શરૂ કરી પાણી ભરવામાં આવે તેવું લોકો નું કહેવું છે.

Comments (0)
Add Comment