વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં પત્રકાર પરિષદ ની બેઠક યોજાઈ. જેમાં પત્રકારો ને પડતી મુશ્કેલીઓ તથા આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે પત્રકારોના સામાજિક તથા વ્યક્તિગત લાભ અંગે રજૂઆત કરવામાં આવી. બેઠક મા જિલ્લા ઉપ પ્રમુખશ્રી, સહમંત્રીશ્રી, તાલુકાના પ્રમુખશ્રી, ઉપ પ્રમુખશ્રી, મહામન્ત્રીશ્રી,મંત્રીશ્રી તથા અન્ય હોદ્દેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે સૌ પત્રકાર મિત્રોએ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો. વૃક્ષો રોપી સમાજ અને યુવા પેઢીને મેસેજ આપ્યો હતો કે પ્રકૃતિ બચવવી હસે તો વૃક્ષો નું જતન ખુબ અનિવાર્ય છે.