પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે જરૂરિયાત મંદ બાળકોને નોટબુક વિતરણ

સ્વ.રતનજી મોતીજી રાઠોડ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે તેમના પરિવાર ના તીર્થ હોસ્પિટલ ,પાલનપુર ના સ્ત્રી રોગના તજજ્ઞ એવા ડૉ. ઘનશ્યામ રાઠોડ તરફથી દાંતા તાલુકાના ના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી ના ધોરણ ૯ થી ૧૨ ના તમામ બાળકો ને વિનામૂલ્યે નોટબુક વિતરણ માટે સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે…આમ પાલનપુરના સેવાભાવી તબીબ એવા ડૉ.ઘનશ્યામ રાઠોડ પરિવાર દ્વારા દાંતા વિસ્તાર ના જરૂરીયાત મંદ બાળકોને નોટબુક વિતરણ કરી ને તેમના પિતાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી છે..આ પ્રસંગે શાળા ના આચાર્ય શ્રી ડૉ.આર.કે.પ્રજાપતિ એ શાળા પરિવાર વતી તીર્થ હોસ્પિટલ, પાલનપુર નો આભાર માની સ્વ.રતનજી મોતીજી રાઠોડ ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી છે…

Comments (0)
Add Comment