અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા 148 પોલીસ કર્મચારીની કરાઈ બદલી

અરવલ્લી જિલ્લાના તમામ પોલીસ મથકો અને હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં 148 પોલીસ કર્મચારીઓની અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સાહેબ દ્વારા બદલી નો સિલસિલો યથાવત. અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન,મોડાસા રૂરલ ભિલોડા,ધનસુરા,માલપુર,ઇસરી,આંબલીયારા મેઘરજ શામળાજી હેડ કૉવ્ટર અને નેત્રંગના પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી કરાઈ અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા મોટા પાયે બદલીઓ કરી નાખતા વર્ષોથી ઘર કરી બેઠેલા પોલીસ કર્મચારીઓમાં સોપો પડી ગયો હતો. ભારેખમ બદલીઓ થી કેટલાક પોલીસ કર્મચારીઓને મનપસંદ પોલીસ સ્ટેશન ન મળતા નારાજગી જેવો માહોલ જોવા મળ્યો હતો

Comments (0)
Add Comment