વાવ ખાતે જનવેદના સંમેલન યોજાયું હતું જેમાં ગેનીબેન ઠાકોર જીગ્નેશભાઈ મેવાણી ગુલાબસિંહ રાજપૂત તેમજ કાંગ્રેસ પક્ષના સૌ આગેવાનો હાજીર રહ્યા

આજે વાવ ખાતે જનવેદના સંમેલન યોજાયું હતું જેમાં ગેનીબેન ઠાકોર જીગ્નેશભાઈ મેવાણી ગુલાબસિંહ રાજપૂત તેમજ કાંગ્રેસ પક્ષના સૌ આગેવાનો કાર્યકર મિત્રો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, આજે આનંદ એ વાતનો છે કે આ લોકો પોતાના સ્વખર્ચે આવેલા છે કોઈને ફોન પણ કોઈ આગેવાનો એ નહોતા કર્યા માત્ર સોશિયલ મીડિયા ના માધ્યમથી જાણ કરી હતી અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

તે બદલ આપ સૌ વાવ ખાતે પધારેલા યુવાનો વડીલો તથા બહેનો નો ખુબ ખુબ દિલથી આભાર માનીએ એટલો ઓછો છે આજની મેદની જોઈને ભાજપના લોકોને નિંદર પણ નહીં આવે આજે સૌ લોકોએ હુંકાર કર્યો છે કે 2022 ની વિધાનસભા ની ચુંટણીમાં ગેનીબેન ઠાકોર ને 30000 થી ઉપર ની લીડથી ચુંટીને મોકલીશું તેવો નિર્ધાર કર્યો છે : ગેનીબેન ઠાકોર

Comments (0)
Add Comment