અરવલ્લી: મોડાસાના મહાદેવપુરા ગામે એક પરિણીતાનો આપઘાત કરવાના ના સમાચાર મળી રહ્યા છે જેને ગામના કૂવામાં ઝંપલાવી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હતું મળતી માહિતી પ્રમાણે પરિવારના ત્રાસના કારણે મહિલાએ મોતને વહાલું કર્યાનો આક્ષેપ લાગી રહ્યા છે તમામ ઘટના ની જાણ થતા મોડાસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતક મહિલાની લાશને કુવા માંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી આ ઘટના ની જાણ ગામ માં થતા લોકોના ટોળેટોળે ગામના કુવા પાસે એકઠા થયા હતા મહિલાના મોતને પગલે પિયર પરિવારમાં આક્રંદ અને સમગ્ર મામલા ની મોડાસા રૂરલ પોલીસ દ્વારા તાપસ હાથ ધરાઈ છે