“શ્વાસમાં શ્વસે ગઝલ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, વિશેષ અતિથિ તરીકે શ્રી પરમ પાલનપુરી હાજર રહ્યા.

તારીખ 23- 4 -22 ના રોજ વડનગર ખાતે કવિશ્રી નરેશ જાદવ (કવિ જાન) ના ગઝલના પુસ્તક “શ્વાસમાં શ્વસે ગઝલ”નું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીમતિ પારુલ પંખુડી, શ્રી એમ. બી શુક્લ,શ્રી દિનેશ ચાવડા, શ્રી મહેશભાઈ પુરોહિત,પરમ પાલનપુરી,શ્રી મહાદેવભાઇ પ્રજાપતિ અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે કેટલાક કવિમિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે કવિ સંમેલનમાં ભાગ લીધો હતો પુસ્તકના વિમોચન વખતે શ્રી પરમ પાલનપુરી વાત કરી હતી કે કવિતા એમ ઉપજતી નથી એના માટેઓળ -ઘોળ થવું પડે છે, લોહીમાં હોય તો શબ્દ માં આવે તેથી કવિતા કર્મ કરવું ખુબ અઘરું છેઆ સાથે કવિ જાaન ને શુભેચ્છાઓ આપી હતી અને કવિ સંમેલનમાં સૌ કવિ મિત્રોએ પોતાની કૃતિઓ રજુ કરી વડનગર ને ગૂંજતું કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ જલ સાગર એ કર્યું હતું.

Comments (0)
Add Comment