ગારીયાધારથી જેસરને જોડતો રોડ બિસ્માર હાલત હોય સ્થાનિક આગેવાન મહેશભાઈ લવજીભાઈ વેગડ દ્વારા 5 મહિના અગાઉ ગારિયાધાર થીજેસર ગુજરડા- રાણીગામ રોડ ખુબ જ બિસ્માર હાલત માં હોવાના લીધે માર્ગ અને મકાન વિભાગ અધિકારી ને અરજી કરવામાં આવેલ હોય
તેમ છતાં હજુ સુધી નિવારણ ન આવતા મહેશભાઈ વેગડ દ્વારા ધારાસભ્ય કેશુભાઈ નાકરણી અને માર્ગ અને મકાન વિભાગ અધિકારી પાલીતાણા ને રૂબરૂ સ્થળ મુલાકાત માટે બોલાવવામાં આવેલ
ત્યારે માર્ગ અને મકાન વિભાગ અધિકારી પાલીતાણા રૂબરૂ સ્થળે આવેલ અને જલ્દી કામ પૂર્ણ કરવાની બાંહેધરી આપેલ હોય
પરંતુ આ રોડનુ કામ તાત્કાલિક કરવામાં નહિ આવે તો મહેશભાઈ અને અન્ય ગ્રામજનો દારા ઉચ્ચ સ્તરે લેખીત અરજી અને જરૂર પડે ગાંધી સિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી