ગૌ માતા ની રક્ષા કાજે સંકીર્તન યાત્રા જિલ્લાના 7 તાલુકાનાં ગામોએ પરિભ્રમણ કરશે..ગાય માતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરવા બનાસકાંઠા મા સંકીર્તન યાત્રા નો પ્રારંભ

ગૌ માતા ની રક્ષા કાજે સંકીર્તન યાત્રા જિલ્લાના 7 તાલુકાનાં ગામોએ પરિભ્રમણ કરશે..
ગાય માતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરવા બનાસકાંઠા મા સંકીર્તન યાત્રા નો પ્રારંભ
ગૌ ભક્તો વિવિધ તાલુકામાં પહોંચી રામધુન કરશે
બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ, સુઇંગામ, થરાદ, ભાભર થઈ દિયોદર તાલુકાના મા પરિભ્રમણ શરૂ થઈ છે. જયાં આજે ભાભર ના સનેસડા ગામે થી સવારે ૯ :કાલે સંકીર્તન યાત્રા નો પ્રારંભ કરી વાવના એટા ધામ ખાતે યાત્રા પૂર્ણ થશે. સંકીર્તન યાત્રા મા ગાય માતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરવાના સાથે જિલ્લાના વિવિધ તાલુકા ના ગામોએ યાત્રા પરિભ્રમણ કરશે. . ગાય માતા ના અસ્તિત્વ અને ભારત નું રાષ્ટ્રીય પ્રાણી ગણવામાં આવે એવો સંદેશો સાથે અભિયાન યાત્રા શરૂ કરી છે. આ યાત્રા એક માસ સુધી જિલ્લાના વિવિધ તાલુકામાં અને સ્થળે ફરશે. સંકીર્તન યાત્રા દિયોદર ના કોતરવાડા ગામે થઈ દિયોદર આવી પહોંચી હતી. જ્યાં દિયોદર બજારમાં ફરી થઈ સનાદર અંબાજી ધામ ખાતે રાત્રી રોકાણ કરશે. દિયોદર ખાતે આવી પહોંચેલી સંકીર્તન યાત્રા ના ભક્તોએ કરતાલ સાથે રામધૂન સાથે ઝૂમી ઉઠ્યા હતા.. જ્યાં ધાર્મિક લાગણી ધરાવતા ગૌ ભક્તોએ યાત્રાને વધાવી લીધી હતી

Comments (0)
Add Comment