પાલનપુરમાં શરદ પૂર્ણિમા નિમિતે ગરબા મહોત્સવ યોજાયો

પવિત્ર આસો માસ શરદ પૂર્ણિમાં ના મહા આરતી પ્રસંગે તિરુપતિ નંદ વિહાર સોસાયટીમાં પાલનપુર નગરપાલિકાના કોર્પોરેટર જાગૃતિબેન મહેતા, ડોક્ટર અમીબેન પટેલ, જયેશભાઇ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ સકસેના તેમજ સામાજિક કાર્યકર સોસાયટીના રહીશ ચેતન પ્રજાપતિ આ તેમજ પ્રમુખશ્રી સોસાયટીના અને આરટીઓ ઇન્સપેકટર અંકિતભાઈ પંચાલ, અને મંત્રી શ્રી જનકભાઈ પ્રજાપતિ દ્વારા આજે શરદ પૂર્ણિમા નિમિત્તે મહાઆરતીનું આયોજન કરેલું હતું

જેમાં નગરપાલિકાના સદસ્યો તેમજ સોસાયટીના રહીશો અને બાળકો તેમજ મોટી સંખ્યામાં પાલનપુર શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ સોસાયટીના રહીશ અને સામાજીક આગેવાન ચેતનભાઇ પ્રજાપતિ દ્વારા તમામ ઉપસ્થિત મહેમાનો ફૂલહાર અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Comments (0)
Add Comment