કચ્છની ધરતી પર આજે 89 વર્ષ જૂની ઘટનાનો ઇતિહાસ તાજો થયો છે. કારણકે જીપીએસ લોકેશન કે અન્ય કોઈ ટેકનોલોજીના ઉપયોગ કર્યા વગર રોડમેપના માધ્યમથી જ બે મહાસાગરો પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિતે ભુજથી જુહુ સુધી ફલાઈટની ઉડાન ભરી હતી

કચ્છની ધરતી પર આજે 89 વર્ષ જૂની ઘટનાનો ઇતિહાસ તાજો થયો છે. કારણકે જીપીએસ લોકેશન કે અન્ય કોઈ ટેકનોલોજીના ઉપયોગ કર્યા વગર રોડમેપના માધ્યમથી જ બે મહાસાગરો પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિતે ભુજથી જુહુ સુધી ફલાઈટની ઉડાન ભરી હતી. આરોહી 926 કિમીનું અંતર 5 કલાકમાં કાપશે.

દેશમાં ઉડ્ડયન ક્ષેત્રના પિતા અને 15 ઓક્ટોબર 1932ના રોજ કરાંચીથી અમદાવાદ થઈ જુહુ (મુંબઈ) સુધી પહેલી ફ્લાઈટ ઉડાડનાર જહાંગીર રતનજી દાદાભોય તાતા (જેઆરડી તાતા)ને શ્રદ્ધાંજલિ આપવા એટલાંટિક અને પેસિફિક મહાસાગર લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ (એલએસએ)ની મદદથી પાર કરનાર દેશની પહેલી મહિલા પાયલોટ આરોહી પંડિત એજ એરક્રાફ્ટમાં આજે ભુજથી અમદાવાદ થઈ જુહુ સુધી ફ્લાઈટ ઉડાવી હતી. આ સફરમાં તે અત્યાધુનિક ટેકનોલોજીની મદદ લીધા વગર રોડ મેપ અને ગ્રાઉન્ડ રેફરન્સની મદદથી 926 કિલોમીટરનું અંતર 5 કલાકમાં પૂર્ણ કરશે. જેના કારણે આ ફલાઇટ સેવાનું મહત્વ અનેરું છે. ઇન્ડિયન વુમન પાયલટ એસોસિએશન (આઈડબ્લ્યુપીએ) અને તાતા પાવર તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે. આરોહીએ જણાવ્યું કે, મને આ તક મળી એના માટે હું મારી જાતને સૌભાગ્યપૂર્ણ માનું છું આ એરટ્રીપને લઈને ભારે ઉત્સાહ છે. મારો ડ્રિમ પ્રોજેકટ આજે સાકાર થયો છે. આ તકે 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સેનાના બોમ્બમારા વચ્ચે ભુજ એરપોર્ટ પર 72 કલાકમાં રનવે બનાવનારા માધાપરની વિરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Comments (0)
Add Comment