રાષ્ટ્રીય ચેતના સંસ્થા, ઇન્દોરે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન્ સન્માનમાં શ્રેષ્ઠ પસંદગી પામેલાનું સન્માન કર્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતના દાંતા તાલુકાની મોર ડુંગરા પ્રાથમિક શાળાના કાર્યકારી અને સમર્પિત શિક્ષક પંકજ પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં દેશના કુલ 25 શિક્ષકોને ખેસ, શાલ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. સંસ્થાના પ્રમુખ શ્રી બ્રજકિશોર શર્માએ તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રભુ ચૌધરીએ કર્યું હતું.