નવરાત્રી એ આપણા ગુજરાતી ઓળખ છે. છેલ્લા 2 વર્ષ થી કોરોના ના ધાર્મિક ઉત્સવો ઉપર પ્રતિબંધ હતો એટલે નવરાત્રિની ઉજવણી બંધ રાખવામાં આવી હતી. પરંતુ માં અંબેની મહેરબાનીથી કોરોના હળવો થતાં. સરકારે આ વર્ષે નવરાત્રી ની છૂટછાટ આપી છે. ત્યારે ગોધરા તાલુકાની એમ.જી.શાહ હાઈસ્કૂલ કાંકણપુરમાં વિદ્યાર્થીઓએ નવરાત્રી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આવી હતી.જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મન મુકીને ને ગરબે ઘૂમ્યા હતા.જેમાં વિદ્યાર્થીઓમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમ ના અંતે પ્રથમ નંબર મેળવનાર ને ઇનામ આપવામાં આવ્યું હતું.