ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધીનગર ની બોર્ડ મિટિંગ મળી

ઇંડિયન લાયન્સ ગાંધી નગર સ્વર્ણિમ કલબ દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર ની જનરલ મિટિંગ અને બોર્ડ મિટિંગ સાંજે ૫:૩૦ વાગે પ્રેસિડન્ટનાં ઓફીસ માં સેક્ટર ૨૫ જી આઈ ડી સી ગાંધીનગર ખાતે રાખવામાં આવી હતી આ મીટિંગમાં
સ્વર્ણિમ ક્લબ ગાંધીનગરના હોદ્દેદારો પ્રમુખ શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ, ડાયરેક્ટર શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ, શ્રી સંજીવ યાદવ નેશનલ સેક્રેટરી, શ્રી મંગળ સિંહ સોલંકી ઉપ પ્રમુખ, શ્રી મહેન્દ્ર સિંહ સોલંકી સેક્રેટરી અને બોર્ડ મેમ્બર ભાઈઓ-બહેનો ક્લબના ઓફિસ સ્થાને મળેલ મીટીંગમાં હાજર રહ્યા હતા
આ મીટીંગમાં દિવાળી પછી સ્નેહ મિલન કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું અને કોરૉના મહામારી માં જે લોકો એ પોતાની જાન ની પરવા કર્યા વિના સેવા કરી છે તેવા સામાજિક કાર્યકર ને સમ્માનિત કરવામાં આવશે. આ નિર્ણય બોર્ડ મીટિંગમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે.

Comments (0)
Add Comment