બાલરક્ષક પ્રતિષ્ઠા મહારાષ્ટ્ર તેમજ સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચ દ્વારા ભારત માતા મંદિર સેક્ટર:૭ – ગાધીનગર ખાતે ઈનોવેટીવ શિક્ષકો ને સન્માનિત કરવા સત્કાર સમારંભ યોજાયો.. સમારંભ અધ્યક્ષ શ્રી માનનીય એમ.કે. રાવલ સાહેબશ્રી, પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી- ગાંધીનગર, સન્માનિય ડો.ગુલાબચંદ પટેલ- અદયક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચ- ગાંધીનગર,શ્રીમાન નાઝા સાહેબશ્રી- ડેપ્યુટી મેયર- ગાંધીનગર, શ્રીમાન, રાંધે શ્યામ યાદવજી- અધ્યક્ષ ઈંડિયન લાયંસ- ગાંધીનગર સ્વર્ણિમ કલબ,શ્રીમાન વિનોદ ચૌહાણ સાહેબશ્રી- રાજભવન- ગાંધીનગર, બાલ પ્રતિષઠાન મહારાષ્ટ્ર અધ્યક્ષ શ્રીમતી ડૉ.રાની ખેડીકર, સચિવશ્રી નરેશ વાઘ સાહેબશ્રી, કાર્ય અધ્યક્ષ શ્રીમાન મનોજ ચિનચોરે સાહેબશ્રી, તમામ અધિકારીશ્રી, પદાધિકારી શ્રીઓના વરદ હસ્તે રાષ્ટ્રપિતામહાત્મા ગાંધી “જીવન ગૌરવ અને “જીવન ગૌરવ સન્માન “એવોર્ડ-૨૦૨૧ સન્માનપત્ર , શિલ્ડ, મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. સર્વ મહાનુભાવો નો હ્દય પૂર્વક ખૂબ ખૂબ આભાર. ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ના અધ્યક્ષ શ્રી શૈલેષ વાણીયા શૈલ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા