નવરાત્રીના પાવન અવસર ઉપર મહેસાણાના ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા

નવરાત્રી નો પાવન પર્વ ચાલી રહ્યો છે તેવામાં ઠેરઠેર સેરી ગરબા અને સોસાયટીમાં ગરબાની રમઝટ જામી છે.

મહેસાણાના ગોવર્ધન પાર્ક સોસાયટી માં દર વખતે અવનવી સ્પર્ધાઓ યોજવામાં આવતી હોય છે, જેમાં નાના બાળકો થી લઈ મોટા લોકો પણ ઉત્સાહ થી ભાગ લેતાં હોય છે.


કોરોના કાળથી બહાર આવીને મહેસાણા એ આ વખતે ગરબાની ખુબ જ સરસ રમઝટ બોલાવી છે.


ગોવર્ધન પાર્ક સોસાયટીમાં વેશભૂષા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં સોસાયટીના રહીશોએ ભાગ લીધો અને મન મૂકીને નાચ્યા.

દરેક મહિલા અને પુરુષ વિવિધ વેષ ધારણ કરી ગરબાની મોજ માણી હતી.

Comments (0)
Add Comment