જીવદયા ફાઉંડેશન દ્વારા અમાસ નિમિત્તે ગરીબ વિસ્તારમાં ચાલતા સન્ડે પાઠશાળા ના બાળકો ને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો

જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી ના પરમ મિત્ર ત્રિકમદાસ ચેલારામ ભેરવાની (રાજુભાઈ) કે જેમને જુના ગંજ બજાર પાલનપુર દુકાન આવેલ છે તેઓના પરિવાર દ્વારા આજરોજ અમાસ નિમિત્તે પાલનપુર માં આવેલ નિસર્ગ હોન્ડા શોરૂમ ની પાછળ દરેક વિસ્તારના બાળકોને ભોજન પ્રસાદ મા પકવાન દાળ અને બુંદી પ્રસાદ આપી ભૂખ્યાને ભોજન નું રસપાન કરાવ્યો હતો આ પ્રસંગે સન્ડે પાઠશાળાના રાકેશભાઈ ડાંગિયા જીવ દયા પ્રેમી જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી ,દેવ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રવીણભાઈ પ્રજાપતિ (પવનભાઈ), દીપકભાઈ વીરપુર, ગુરુભાઈ વગદા અને દાતાશ્રી તીકમદાસ ચેલારામ ભેરવાની (રાજુભાઈ) ના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને ઠાકોર દાસ ખત્રી દ્વારા બાળકો ને માસ્ક વિતરણ કરવા માં આવ્યા હતા

Comments (0)
Add Comment