આજ કાલ દીકરીઓ ની અછત ના કારણે અનેક લોકો જિલ્લા યા રાજ્ય બહાર દલાલ મારફતે રૂપિયા ખર્ચીને લગ્ન કરતા હોય છે જે મોટા ભાગે છેતરતા હોય છે જેના અનેક કિસ્સા ઓ સામે આવી ગયા છે અનેક યુવતીઓ લગ્ન બાદ થોડાક દિવસો માં લાખો નો રોલ કરી ફરાર થઈ જતી હોય છે આ સમગ્ર એક મોટું નેટવર્ક ચાલી રહ્યું છે સમાજ માં ઈજ્જત ના બીકે પોલીસ ફરિયાદ પણ થતી નથી આવો જ એક કિસ્સો ધાનેરા ના અંબિકા નગર નો સામે આવ્યો છે સીવરામ ભાઈ ત્રિવેદી ના પુત્ર રાજેશ ની પત્ની એ છૂટાછેડા લેતા થોડાક સમય બાદ રાજેશ માટે એક પત્ની ની શોધ માં પરિવાર હતો ત્યારે નજીક ના સગા અને રામસન ગામ ના વતની હસમુખ ત્રિવેદી એ લગ્ન બાબતે ગોઠવી આપવાની વાત કરતા થોડાક દિવસો માં ગોઠવાઈ ગયુ રાજેશ ના લગ્ન કવિતા નામ ની છોકરી સાથે ધાનેરા ના ચારડા ગામે પૂજારી ની હાજરી માં કરાવ્યા ત્યાર બાદ હસમુખ ભાઈ ને હાથ ખર્ચા માટે 10 હજાર રૂપિયા આપ્યા નો પરિવારે જણાવ્યું અને 3 લાખ લગ્ન પેટે ચુકવણી કરાઈ હોવાની વિગત પરિવારે જણાવી.સમગ્ર લગ્ન પ્રક્રિયા બાદ હસમુખભાઈ અને સરોજબેન મોચી કવિતા ને સાસરી માં મૂકી ને રવાના થયા હતા …..