પ્રસિદ્ધ અંબાજી મંદિર માં તારીખ 24/ 9/2021 ના રોજ નિજમંદિરમાં પ્રક્ષાલન વિધિ ના ભાગ રૂપે દર્શન સમય માં ફેરબદલ કરવામાં માં આવ્યો

તાજેતરમાં અંબાજીમાં ભાદરવી પુનમના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન કર્યા હતા તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિરની પ્રણાલિકા મુજબ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલન વિધિ કરાશે

લાખો શ્રદ્ધાળુઓ ભાદરવા મહિના દરમિયાન પગપાળા દર્શનાર્થે આવતા હોય છે અને નવરાત્રી પહેલા માતાજીના મંદિરની સાફ-સફાઈ કરવામાં આવતી હોય છે અને દર વર્ષે માતાજી મંદિર માં પ્રક્ષાલન વિધિ યોજાય છે જેમાં માતાજીના નિજ મંદિરની સાફ-સફાઈ તથા માતાજીના દાગીના સવારીઓ તેમજ સંપૂર્ણ મંદિર ની સાફ સફાઈ કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ 24/ 9/2021 ના ભાદરવા વદ ચોથના શુક્રવારના રોજ નિજમંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે જે બપોરે 1:30 કલાકે શરૂ થશે આ દિવસે માતાજીની આરતી તથા દર્શનનો સમય આ મુજબ રહેશે

તારીખ 24/ 9/2021 ના રોજ નિજમંદિરમાં પ્રક્ષાલન વિધિ ના ભાગ રૂપે દર્શન સમય


દર્શન સવારે દર્શન ૭:૩૦ થી ૧૧:૩૦ સુધી અને દર્શન બપોરે ૧૨:૩૦ થી ૦૧:૦૦ સુધી ત્યારબાદ માતાજી મંદિરના દર્શન બંધ રાખવામાં આવશે અને ત્યારબાદ ૧:૩૦ કલાકે પ્રક્ષાલન વિધિ શરૂ થશે અને સાંજે ૯:૦૦ કલાકે માતાજીની આરતી કરવામાં આવશે

તેમજ તારીખ 25/09/ 21થી આરતી તથા દર્શન રાબેતા સમય મુજબ થશે

Comments (0)
Add Comment