પાટણ થી મહેસાણા તરફ જતી રેલવે ની ટકકરે અજાણ્યા આધેડ નું મોત

અલ્પેશ શ્રીમાળી પાટણ

લાશની ઓળખ વિધી ન થતાં લાશને ધારપુર હોસ્પિટલ ના કોલ્ડ સ્ટોરેજ મા મોકલાઈ..

પાટણ થી મહેસાણા તરફ જતી રેલવે ની ટકકરે કોઈ અજાણ્યા આધેડ ઈસમ નું મોત નિપજ્યું હોવાની જાણ રેલવે પોલીસ ને થતાં પોલીસે ધટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી તેની ઓળખ વિધી હાથ ધરી હતી પરંતુ મૃતક પાસેથી તેની ઓળખ થાય તેવી કોઈ વસ્તુ પ્રાપ્ત ન થતાં રેલવે પોલીસે તેની લાશને ધારપુર હોસ્પિટલ ના કોલ્ડ સ્ટોરેજ મા મોકલી આપી હોવાનું જાણવા મળ્યું છે.મૃતક આધેડ ઈસમ ઉ. વ.આશરે 57 શ્યામવર્ણી, મઘ્યમ બાંધો, શરીરે વાદળી શટૅ અને બ્લેક પેન્ટ પહેરેલ છે.લાશના સગા સંબંધીઓએ રેલવે પોલીસ નો સંપર્ક કરવા જણાવ્યું છે.

Comments (0)
Add Comment