રિપોર્ટર – રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ
સાબરકાંઠા જિલ્લાના તલોદ માર્કેટ યાર્ડ ખાતે ભગવાન મહાવીર સ્વામીના ૨૫૫૦ નિર્વાણ મહોત્સવના ઉપલક્ષમાં જૈન સમાજના આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી સમગ્ર ભારત વર્ષમાં પરિવર્તન માટે નીકળેલ અહિંસા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તલોદ પ્રાંતિજ ના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સહીત મોટી સંખ્યામાં જૈન સમાજ ના લોકો અને તલોદ શહેર ના લોકોએ ભગવાન મહાવીર સ્વામીના દર્શન નો લાભ લીધો હતો..