ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ દ્વારા રેડ

15 ટન ઘઉં 21 ટન ચણા અને 240 કિલો ચોખાનો જથ્થો સીઝ કરાયો

રિપોર્ટર :કિરણ ડામોર બૌદ્ધિક ભારત ફતેપુરા

તારીખ 28 મે 2024 અને મંગળવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગર ની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી.શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વડોદરા ને વેચાણ કરેલ જથ્થાના બિલને ક્રોસ વેરીફીકેશન કરવા તેમજ તપાસણી કરવા માટે મદદનીશ નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી જે સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગર ના મદદનીશ નિયામકની ટીમ દ્વારા જીએસટી ના અધિકારીને સાથે રાખીને તેમજ ફતેપુરાના મામલતદાર અને તેમની ટીમને સાથે રાખીને તેમજ ફતેપુરા પોલીસ ટીમને સાથે રાખીને ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ પેઢીના પરવાનેદાર સંચાલક સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી ચકાસણી દરમિયાન મળી આવેલ શંકાસ્પદ અનાજનો જથ્થો જોઈને મદદનીશ નિયામકની ટીમ તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓ ચોકી ઉઠયા હતા અને આ સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢીમાંથી 15270 કિલો ગ્રામ ઘઉં,21,000 kg ચણા અને 240 kg ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.હાલ બીજા દિવસે પણ ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે પોલીસની ટીમો સાથે રાખીને તેમજ ફતેપુરા મામલતદાર ની ટીમને સાથે રાખીને અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગર ના મદદનીશ નિયામકની ટીમ દ્વારા હાલ ફતેપુરા એપીએમસી ખાતે તપાસ ચાલુ જ છે.
વધુ વિગતો તપાસ પૂર્ણ થયેથી જાણવા મળશેઆવી હજી પણ ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો ફતેપુરા ની સુખસર માર્કેટિંગ યાડ માં પણ લોલમ પોલ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે

Comments (0)
Add Comment